36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ પૂરતી જમીન ન આપતા સુત્રોચાર સાથે મામલતદારને આવેદનપત્ર

નસવાડીના કવાંટ તાલુકાના જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ પૂરતી જમીન આપી નથી તેમજ અમુક ખેડૂતોને જમીન માંગણીની અરજી પેન્ડિંગ રાખતા મોટી સંખ્યામાં ખેડૂતો નસવાડી તાલુકા સેવાસદન કચેરીએ આવીને સુત્રચારો કરી જમીન આપો જમીન આપોની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

નસવાડી અને કવાંટ તાલુકાના 80 થી વધુ ગામોમાં વન વિભાગની જમીન માં ખેડૂતો 50 વર્ષના વધુના સમયથી રહે છે અને જંગલો સાચવે છે ત્યારે સરકાર દ્વારા જંગલોમાં રહેતા પરિવારોને વન અધિકાર કાયદા હેઠળ જમીન આપવા માટે વર્ષ 2005 માં કાયદો લાગુ કર્યો હતો. જેમાં જંગલમાં રહેતા ખેડૂતોએ જમીન માંગણી માટે અરજીઓ કરી હતી જયારે જે ખેડૂતો 10 દસ એકર જમીન ખેડતા હતા. તેવા ખેડૂતોને 1 એકર પણ પુરી મળી નથી જયારે હજરો ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ સરકારી કચેરીઓમાં પડી રહી છે. જેને લઈને જંગલમા રહેતા આદિવાસી લોકો નસવાડી ખાતે તાલુકા સેવાસદન કચેરીમાં આવીને ભારે સુત્રચારો કરીને મામલતદારને આવેદન પત્ર આપીને જમીનની માંગણી કરી હતી. જયારે ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારે જંગલોમાં રહેતા ખેડૂતોને પૂરતી જમીન આપી નથી જે ખેડૂતોને જમીન આપવામાં આવી છે. તે જમીનમા ખેતી થઇ શકે તેટલી જમીન નથી જમીન માંગણીની અરજીમાં પુરેપુરી હકકીતો જણાવ્યા હોવા છતાંય અધિકારીઓએ મન માની કરીને ઓછી જમીનની ફાળવણી કરી છે..જેનાથી જંગલોમાં રહેતા પરિવારોનો જીવન નિર્વાહ ચાલે તેમ નથી. જયારે હજરો ખેડૂતોની જમીનની માંગણીની અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. પરંતુ અધિકારીઓ નિર્ણય લેતા નથી. જયારે આદિવાસી વિસ્તારના જંગલોમાં રહેતા ખેડૂતો પાસે જમીનો ના હોવાથી મજૂરી કામે સોરાષ્ટ્ર જાય છે. ત્યારે તેઓના બાળકોને સાથે લઈને જતા હોવાથી પરિવારોના બાળકો અભણ રહી જાય છે. 18 અઢાર વર્ષ વીતી જવા છતાંય અધિકારીઓ જમીન ની માંગણીનો નિકાલ કરતા નથી જેના કારણે આદિવાસી સમાજમા તંત્રના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહેલી તકે જમીન નહિ આપવામાં આવે તો ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોનલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

admin

ઝોઝ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

admin

નસવાડીમાં ચોરીનો બેફામ આતંક : પોલીસ સ્ટેશનની બાજુમાંથી પણ બાઈક ઉઠાવી ગયા તસ્કરો

admin

Leave a Comment