36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ખેડાખેડા જિલ્લો

ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી

ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ડાકોરના રણછોડજી મંદિર પાસે આવેલા કિલ્લાના દરવાજા નજીક આજે અચાનક મીઠાઈની દુકાનોમાં એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પવિત્ર સ્થળ હોવાને કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ સદનસીબે ઘટના સમયે વિસ્તાર તુલનાત્મક શાંત હતો, જેના કારણે કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે.આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી.ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને થોડા સમયના પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો. આગના કારણે અનેક દુકાનોમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળે છે,પરંતુ સાચું મૂલ્યાંકન બાદમાં સામે આવશે.

Related posts

વાંઘરોલી બેઠક રદના નિર્ણય સામે ખેડામાં રોષ, ભાજપ-કોંગ્રેસ એકસાથે મેદાનમાં

admin

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, સામાજિક સમરસતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ

admin

ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ..

admin

Leave a Comment