27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ખેડાખેડા જિલ્લો

ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી

ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ડાકોરના રણછોડજી મંદિર પાસે આવેલા કિલ્લાના દરવાજા નજીક આજે અચાનક મીઠાઈની દુકાનોમાં એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પવિત્ર સ્થળ હોવાને કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ સદનસીબે ઘટના સમયે વિસ્તાર તુલનાત્મક શાંત હતો, જેના કારણે કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે.આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી.ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને થોડા સમયના પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો. આગના કારણે અનેક દુકાનોમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળે છે,પરંતુ સાચું મૂલ્યાંકન બાદમાં સામે આવશે.

Related posts

ગળતેશ્વર સિવિલ કોર્ટ ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી : સુપ્રિટેન્ડન્ટ મોસિન મન્સૂરીના સાહેબના હસ્તે કરાયું ધ્વજવંદન

admin

ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ..

admin

ઓરિસ્સાના સાઈબાબા મંદિરમાંથી ચોરી કરેલ ચાંદીના દાગીના સાથે બે આરોપીઓ સેવાલિયામાં ઝડપાયા

admin

Leave a Comment