છેલ્લા પંદર વર્ષથી ઇલેક્શન વોર્ડ નં.13મા કાછિયાપોળ વાડી ખાતે મહિલા મંડળ, કાછિયા પટેલ મંડળ, તાળફળિયા તથા કોઠી ફળિયા મંડળ સાથે ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓને, બહેનો માટે ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આજરોજ અહીં દોઢસો થી બસ્સો જેટલી બહેનો કુંવારીકાઓને ફરાળી વાનગીઓ જમાડવામાં આવી હતી. આ વાનગીઓ મહિલા મંડળ ની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે અલૂણા વ્રત કરતાં બહેનો કુંવારીકાઓને મીઠું વગરની મોળી વાનગીઓ જમાડવામાં આવી હતી. આ અંગે સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.