ગુડ ફ્રાઈડે વડોદરામાં અનેકો ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે આજરોજ ખ્રિસ્તી સમાજના ભગવાન ઈસુ નો બલિદાન નો દિવસ એટલે ગુડ ફ્રાઈડે તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચેમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું.
બાઇબલ મુજબ, ગુડ ફ્રાઈડેના દિવસે, રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ. તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું. ખ્રિસ્તી ધર્મ અનુસાર, આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.
ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે દર વર્ષે ઇસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે.

