વડોદરામાં વરસાદની તબાહી બાદ અનેકો વિસ્તારોમાં વૃક્ષો ધરાશાહી થવાની માહિતી સપાટી પર આવી હતી ત્યારે વડોદરાના બહુચરાજી સ્મશાન ના મુખ્ય માર્ગ ઉપર આવેલ ગેરેજ ની બાજુમાં આવેલ તોટિંગ વૃક્ષ ધરાશાહી થતાં ગેરેજના શેડને નુકસાન પહોંચી હતી. વૃક્ષ ધરાશાહી થતાં તેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી ગેરેજ માલિકની વાત ગંભીરતા થી લેવામાં આવી ન હતી અને કોઈ વખત ગેરેજ માલિકે રજૂઆત કરી ત્યારબાદ કંટાળેલા ગેરેજ માલિકે વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી પણ તેમનું સમસ્યાનું નિવારણ ન આવતા આખરે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાળવી હતી. ગેરેજ માં આવેલ ગાડીઓને વરસાદના કારણે તો નુકસાની તો થઈ છે ત્યારે પોતાના શેડને બચાવવા માટે વૃક્ષ હટાવવા કકળી રહેલા ગેરેજ માલિકનો વ્યથા તંત્રના કાર્ય ક્યારે પડશે અને તેના સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું.

