વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલરની વિદાય સાથે જ વિધાર્થી સંગઠનોમાં ખુશીની લહેર જોવા મળી હતી,યુનિ.ની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઇએ તો ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાત્સવ આવ્યા ત્યારથી જ વિવાદોમાં રહ્યા છે. સેનેટ સિંડિકેટ સભ્યો સાથેના તેમના મતભેદો પણ જગ જાહેર છે,વીસી વિજય શ્રીવાસ્તવના અનેક નિર્ણયોને લઇ હંગામો પણ રહ્યો છે.વિજય શ્રીવાસ્તવ બાદ હવે નવા વીસી કોણ તેને લઈને પણ માહોલ ગરમાયો છે
next post

