વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં વીજ કરંટ લાગતા 38 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પાણીની મોટર પર વીજ કરંટ ઉતરતો હોઈ તેને અડતા આ ઘટના બની હતી.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરાની મહિલાને પાણીની મોટર પર વીજ કરંટ લાગતાં તેઓ ઢળી પડ્યા હતા.તાત્કાલિક તેઓને સારવાર અર્થે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબીબે લાંછનપુરા ગામની 38 વર્ષીય મહિલા સજન બેન પ્રવીણભાઈ પરમારને મૃત જાહેર કરાયા હતા.જ્યારે ઘટનાની જાણ થતાં પરિવાર અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

