પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે.વડોદરા શહેરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બે દિવસ પૂર્વે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એક બાદ એક મૃતદેહો મળી આવતા અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 19 પર પહોંચ્યો છે.હાલમાં પણ બચાવ કામગીરી ચાલી રહી છે.ત્યારે આ દુર્ઘટના બાદ હવે ધીમે ધીમે તંત્ર હરકતમાં આવી રહ્યું છે.વડોદરા શહેરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શહેરના અલગ અલગ બ્રિજોની ચકાસણી કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું.બ્રિજની પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે અને શહેરના તમામ ચકાસણી બાદ તંત્ર રિપોર્ટ સુપ્રત કરશે.

