સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ આશા વ્યક્ત કરી છે કે આ ખરડો સંસદમાં પસાર થશે.
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખરડો લાવવા બદલ તેમનો આભાર માન્યો હતો અને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.આ સમર્થન એવા સમયે આવ્યું છે.જ્યારે ઘણા મુસ્લિમ સંગઠનો આ ખરડાનો વિરોધ કરી રહ્યા છે.તેમનું માનવું છે કે, આ ખરડો વકફ સંપત્તિઓના સંચાલન અને સ્વાયત્તતા પર નકારાત્મક અસર કરશે.જો કે, અખિલ ભારતીય સંત સમિતિ અને ઓલ ઈન્ડિયા સુફી સજ્જાદાનશીન કાઉન્સિલનું સમર્થન સરકાર માટે એક મહત્વપૂર્ણ વિકાસ છે.વકફ ખરડો, 2024નો હેતુ વકફ સંપત્તિઓના સંચાલનમાં સુધારો લાવવાનો છે અને તેને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે.આ ખરડામાં વકફની વ્યાખ્યાને અપડેટ કરવા નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને રેકોર્ડ વ્યવસ્થાપન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જેવી જોગવાઈઓ છે.અખિલ ભારતીય સંત સમિતિનું આ સમર્થન સૂચવે છે કે કેટલાક હિન્દુ આધ્યાત્મિક નેતાઓ પણ માને છે કે આ સુધારાઓથી વકફ સંપત્તિઓનું વધુ સારી રીતે સંચાલન થઈ શકશે અને તેનાથી ગરીબ અને સામાન્ય મુસ્લિમોને ફાયદો થશે.જો કે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા સંગઠનોએ આ ખરડાનો સખત વિરોધ કર્યો છે અને જો આ ખરડો પસાર થશે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.તેમનું માનવું છે કે આ ખરડો ભેદભાવપૂર્ણ છે અને કોમી હેતુઓથી પ્રેરિત છે.આમ, અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વકફ બોર્ડને ટેકો આપવો એ એક મહત્વપૂર્ણ ઘટના છે.જે આ ખરડા અંગેના વિવિધ મંતવ્યોને દર્શાવે છે.ત્યારે આજે વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન અને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંત સંગોષ્ઠિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ખાસ ઉપસ્થિતિમાં અખિલ ભારતીય સંત સમિતિના અવિચલ દેવાચાર્ય જી,દિલીપ દાસ મહારાજ તેમજ ગુજરાતભાર માંથી સાધુ સંતોએ પધરામણી કરી હતી સાથે જ વકફ બોર્ડે ટેકો જાહેર કર્યો હતો સાથે જ આ મહત્વપૂર્ણ સંઘોષ્ટિમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી પ્રમુખ જયપ્રકાશ સોની તેમજ પૂર્વ પ્રમુખ વિજય શાહે પણ હાજરી આપી હતી.

