વાંકાનેડા ગામના એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી કે વાંકાનેડા ગામ માં ભ્રષ્ટાચાર થયો છે તેની અરજી કરવામાં આવી હતી તે સંદભ તપાસ કરવામાં ડેસર તાલુકાના એ A.T.D.O ડામોર સાહેબ દ્વારા વાંકાનેડાગામ ખાતે તાલુકાની ટીમ આવી હતી તેમાં A.S.O.હેમાંગભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ બારીયા આજરોજ વાંકાનેડા ગામ ખાતે ગ્રામજનોની રજૂઆત હતી કે ગ્રામ પંચાયતમાં વિવિધ ભ્રષ્ટાચાર ના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા જેમાં A.T.D.O.ડામોર સાહેબ દ્વારા ગ્રામજનોની રૂબરૂમાં તપાસ કરાવી તેમાં ગ્રામ પંચાયતની બિલ્ડીંગ જર્જરી હાલતમાં જોવા મળી હતી તથા ગ્રામનો પ્રવેશ મુખ્ય R.C.C .રોડ તેમજ હોળી ચકલા સુધી તેની પણ તપાસ કરવામાં આવી હતી તેમાંR.C.C રોડ જર્જરી હાલતમાં જોવા મળ્યો હતો વાંકાનેડા ગામથી સ્મશાન જવાનો રસ્તો તે પણ જર્જરી હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ વાંકાનેડા ગામમાં ગટર લાઈન બનાવેલ છે તે પણ જર્જરી હાલતમાં જોવા મળી હતી ઘણા એવા હેડ પંપ છે કે ફિલ્ડમાં બતાવ્યા છે તેમજ સ્થળ ચકાસણી કરતા હેડ પંપ જોવા મળ્યા ન હતા તેમજ સ્થળ નિરીક્ષણ કરતા લાભાર્થીઓને ધ્યાનમાં રાખ્યા વગર મૂકવામાં આવ્યા હતા જેનો લાભ ઉઠાવી શક્યા હતા નથી તેમાં ગ્રામજનોની માંગ હતી કે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ હતી કે ATDO ડામોર સાહેબ દ્વારા આજરોજ તથા A.S.O હેમાંગભાઈ પટેલ તેમજ ટેકનિકલ ધર્મેન્દ્રસિંહ બારીયા દ્વારા વાંકાનેડા ગામ ના સ્થળ પર જઈને તપાસ કરીને તપાસના રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે

