40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતાં નારાજગી વ્યાપી

સંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની મનમાની સામે રોષ – લગ્ન નોંધણી ન કરતા નાગરિકોની મામલતદારને રજૂઆત

સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતાં ગ્રામજનો અને વકીલમંડળમાં નારાજગી વ્યાપી છે. નિયમ મુજબ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજદાર જ્યારે ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી માટે પહોંચે છે ત્યારે તલાટીશ્રી કોઈપણ લેખિત કારણ વગર અરજી સ્વીકારતા નથી, એવો આક્ષેપ ઉઠ્યો છે.

આ મુદ્દે આજે વકીલ તથા પ્રભાવિત નાગરિકોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી.

રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે તલાટી કમ મંત્રીએ—

હોદ્દાનો દુરુપયોગ કર્યો,

કાયદાનું ઉલ્લંઘન કર્યું,

અને નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે.

નિવેદન પ્રમાણે, તલાટીશ્રી લગ્ન નોંધણી માટેની અરજી સ્વીકારવાની ફરજ હોવા છતાં રજિસ્ટ્રાર તરીકેના પોતાના કાયદેસર કાર્યવાહી બાજુએ રહી રહ્યા છે, જેના કારણે અનેક નાગરિકોની કામકાજમાં વિલંબ અને નુકસાન થઈ રહ્યું છે.

નાગરિકોએ મામલતદારને તાત્કાલિક તપાસ શરૂ કરી તલાટી કમ મંત્રીની મનમાની સામે જરૂરી કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવા માંગ કરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને લુણાદ્રા થી સિંહાદ્રા ગામ તરફ જતા ડામર રોડનું લોકાર્પણ જીલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

admin

પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં વર્કશોપ યોજાઈ

admin

Leave a Comment