36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો


માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરા ની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નં. 14 ના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો,વોર્ડ નં 17ના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

જોકે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે JCP લીના પાટીલ સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની કામગીરી ના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પોલીસે અસામાજિક તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

15 ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે ધ્વજ નો વેચાણ કરતા નજરે પડ્યા

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ની ૮૪મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

admin

મોપેડ ઉપર પાયલોટીંગ કરી રીક્ષામાં ઇંગ્લીશ દારૂના જથ્થો ભરી સપ્લાય કરવા જતા બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર, પી.સી.બી.

admin

Leave a Comment