છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડાના નોલીયા બારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસુતીનો દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈ 108 ઘર સુધી ના આવતા પરિવારજનો સગર્ભાને ઝોલીના નાખીને ઉંચકીને એક કિલોમીટર ચાલ્યા,
એક કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ ત્યાંથી બે કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને સોંપી દવાખાને લઈ જવાઈ,
ગઢબોરિયાદ સી.એચ.સી.માં રાત્રીના સગર્ભાને પ્રસુતી થતા મૃત બાળકનો જન્મ થયો,
રસ્તો હોત તો બાળક દુનિયા જોઈ શક્યો હોત,
મૃત બાળકનો જન્મ થયો અને જીવ સંટોસ્ટ ના ખેલ વચ્ચે ગ્રામજનો કાચા રસ્તાનુ દુઃખ ભોગવતાં હોય રોષ વ્યક્ત કર્યો,
અગાઉ પણ આજ઼ ગામની ઘટના બની હતી છતાંય સરકાર દ્વારા હજુ પાકા રસ્તાની મંજૂરી અપાઈ નથી,
મોહસીન સુરતી છોટાઉદેપુર

