આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 4-8-2024 રવિવારના રોજ છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ધોળી નું વિતરણ કરવામાં આવ્યું અને 50 જેટલા મધ્યમ વર્ગના લોકોને રેનકોટ આપવામાં આવીઆ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગાયને કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકાના મુકેશભાઈ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને એપીએમસીના ચેરમેન તેમજ સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના પુત્ર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઓડ ગામના સરપંચ શ્રી જગુભાઈ રાઠવા ભાજપના પ્રમુખતેમજ આશરો સેવા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી નીતિનભાઈ ચૌહાણ તેમજ તેમનીસમગ્ર ટીમ હાજર રહી હતી

