રામનવમીના પાવન પર્વે અયોધ્યામાં રામ નવમીની ભારે હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા હતા.

