શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સાથે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું….
વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં આવેલા કાયસ્થ ભવન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાયસ્થ સમાજના બાળકોને વિના મૂલ્ય ચોપડા વિતરણ કરવામાં આવે છે સાથે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપે સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે 170 થી વધુ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી બાળકોને અભ્યાસમાં રુચિ વધે અને બાળકો ભણવામાં ઉત્તમ ગુણ મેળવે સાથે સમાજનું નામ ઉચ્ચ સ્થળે જાય તે માટે શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને મહિલાઓ સાથે બાળકોએ રક્તદાન કર્યું હતું.

