ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા એલએન્ડટી સર્કલ પાસે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા એલએન્ડટી સર્કલ પાસે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સમયે મેયર પિન્કીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન શિતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જય પ્રકાશ સોની અને પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

