પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર ના12 મા પાટોત્સવ હોય વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર ની ધાર્મિક વિધિ કરી ભકતો દ્વારા ભક્તિ સભર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડભોઇ નાદોદી ભાગોળ ખાતે આજે12મા પાટોત્સવ હોવાથી વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર ધાર્મિક વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને સંત દ્વારા મહાપુજા કરવામાં હતી અને ભગવાનનો મહાદેવ ના અભિષેક કરાતા ધુનથી આખુ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, ત્યારબાદ તમામભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી. જેનો ભક્તોએ લાભ લીધો હતો.

