સત્તત 6 વર્ષથી વડોદરા ના 5870 મૃત સ્વજનો ની પાવન અસ્થિ નું નિઃશુલ્ક રીતે માં ગંગા ના સાનિધ્ય હરિદ્વાર માં વિસર્જન કરવાનું સેવાયજ્ઞ ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે 2019 થી હાલ 2024 સુધી માં 5870 થી વધુ સ્વજનો ની અસ્થિ વડોદરા થી લઇ જઈ પૂજા વિધિ અને મંત્રોચાર ના વિધિવિધાન સાથે સ્વજનો ના મોક્ષ પ્રાપ્તિ માટે માં ગંગા ના સાનિધ્યમાં વિસર્જન કરવામાં આવે છે આ તમામ સેવા નિઃશુલ્ક હોય છે જેમાં 1 પૈસો પણ કોઈ વ્યક્તિ પાસે લેવામાં આવતો નથી આ તમામ ખર્ચ અમારી ટીમ ના સભ્યો દ્વારા જાતે કરવામાં આવે છે.
હજુ પણ કોઈ હિંદુ પરિવાર ને તેમના પરિવાર માં સ્વર્ગલોક પામેલ સભ્યો ની અસ્થિ માં ગંગા ના સાનિધ્ય માં પારંપરિક વિધિવિધાન પૂજા પાઠ દ્વારા વિસર્જન કરવા માંગતા હોય તો સંપર્ક કરી શકે છે. સ્વેજલ વ્યાસ 9904841108.

