27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં આવેલ આંગણવાડીઓ માંથી આશરે 50 જેટલી આંગણવાડીઓ જર્જરીત હાલતમાં

ડભોઇ તાલુકાના ભીલોડીયા ગામે અને તાલુકાના અનેક ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય પરંતુ 50 ઉપરાંત જર્જરીત હાલતમાં છે અને બાળકોને અવર-જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઉભી થાય છે તેમજ આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક જવાબદાર કોણ…? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે…

ડભોઇ તાલુકામાં આશરે 200 જેટલી આંગણવાડી આવેલી હોય જેમાં ભીલડીયા ગામ કાયાવરણ ચાંદોદ વિસ્તારમાં આવેલી આશરે 50 જેટલી આંગણવાડી નંદ ઘરમાં બાળકો મેળવે છે અભ્યાસ મોટાભાગની આંગણવાડીઓના પતળા ઉડી ગયા છે અને જર્જરીત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ પડી રહ્યું છે બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા આંગણવાડીમાં આવે છે ત્યારે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે… આંગણવાડી મોટાભાગે જર્જરીત હોય પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે વાલીઓ એ જણાવ્યું હતુ.કે જવાબદાર કોણ ? ટીડીઓ અને આઇસીડીએસના અધિકારીનેવારંવાર રજૂઆત છતાં તંત્ર અને આઇસીડીએસ વિભાગ નિંદ્રાધીન આંગણવાડીના ભૂલકાઓ અકસ્માતે ભોગ બને તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે…


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે ભાથુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા

admin

બુટલેગરનો નવો કીમિયો : ટ્રકમાં પાયવુડની આડમાં દારૂની હેરાફેરી

admin

વડોદરાના હરણી વારસિયા રિંગ રોડના સુખશાંતિ સો માં બન્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

admin

Leave a Comment