છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થા ઉપર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પોહચ્યા હતા. એકલબારા ગામે સાયકલોનો જથ્થો જોઈને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા ચોકી ઉઠ્યા હતા. વર્ષ ૨૦૨૩ની પ્રવેશોત્સવની સાયકલોનો જથ્થો ખુલ્લા ખેતરમાં છે. સુખરામ રાઠવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કરી જિલ્લા કલેકટર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

