નસવાડીના ઘેંસવાડી ખાતે કોંગ્રેસ નેતા અને ઘારાસભ્ય જીગ્નેશ મેવાણી, અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ , સરકારની નીતિની વિરોધમાં આદીવાસી એક મહાસંમેલન યોજ્યું .જેમાં જીગ્નેશ મેવાણી સ્ટેજ પર થી હાઇડ્રો પ્રોજેક્ટ ના વિરોધમાં વિસ્તાર સતત તેમના ગામોમાં રહેશે. જીગ્નેશ મેવાનીએ જણાવ્યું જે દેશની જમીન ઉપર પહેલા આદિવાસીઓનો હક્ક છે, જે કોઈ છીનવી નહીં શકે. કોઈની તાકાત નથી, કે અહીં હાઇડ્રો પ્રોજેક્ટ નાખે તેવું ચેલેન્જ સાથે જીગ્નેશ મેવાની એ કહ્યું. તો અનંત પટેલે જણાવ્યું કે ભાજપ આદિવાસીઓની જમીન છીનવી રહી છે.

