સ્વાતંત્ર સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગ ની તક્તી મોડી રાતે તૂટેલી હાલતમાં જોવા મળતા તેમના સ્વજનો અને કારેલીબાગના નાગરિકોની લાગણી ને દુઃખ પહોંચ્યું છે. સ્વાતંત્ર સેનાની સ્વર્ગસ્થ છગનલાલ નાયક ના પુત્ર કલ્પેશ નાયક એ કારેલીબાગ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપી કોઈ પીધેલા વ્યક્તિએ અકસ્માત સર્જી આ તકતી તોડી હોવાની બાબતે ફરિયાદ આપી છે જોકે ફરિયાદ આપવા ગયેલા સ્વાતંત્ર સેનાની ના પુત્રને કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો કડવો અનુભવ થયો હોવાની વાત તેમણે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહી છે સમગ્ર મામલે વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ફરી તકતીની સ્થાપના કરે અને પોલીસ વિભાગ કસૂરવારોને શોધી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કલ્પેશ નાયક એ કરી છે.

