વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચાર ના મુદ્દે રજૂઆત કરી હતી
તેમના દ્વારા ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય હરણી બોટ કાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય આ તમામ મુદ્દે અગાઉ ની સભામાં રજૂઆત કરી છે ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના અલગ અલગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

