વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા.
તેમના દ્વારા આ વાતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના બાબતે રજૂઆત કરી હતી કે 2010 પછી બનેલ તમામ આવાસો અત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી છે. આ સાથે પાલિકામાં ફાયર વિભાગમાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે પણ સવાલો ઊભા કરી ક્યાંથી આ કામ મંજૂર થયું છે એવી સ્થાયી સમિતિ ને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે.

