વડોદરામાં રંગોત્સવની ધૂમ જોવા મળી રહી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ધુળેટીનો તહેવાર ઉત્સાહભેર ઉજવ્યો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાને નેચરલ કલર લગાવીને ઉજવણી કરી અને સાથે સમાજને મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ધુળેટીની ઉજવણી રંગબેરંગી માહોલમાં કરવામાં આવી. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં એકબીજાને કુદરતી રંગોથી રંગીને તહેવારની મજા માણી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વડોદરા વાસીઓને સંદેશ આપ્યો કે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ અને માત્ર નેચરલ કલરથી જ ધુળેટી ઉજવવી જોઈએ.વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે તહેવાર આનંદ અને એકતાનો પ્રતિક છે, તેથી શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે ધુળેટીની ઉજવણી કરવી જોઈએ.કેમ્પસમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારા નો માહોલ જોવા મળ્યો.

