43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના આવેલ નરસિંહજી પોળમાં જર્જરિત મકાન ધરાશાયી

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને અવારનવાર વરસાદ વખતે મકાન તૂટવાના બનાવ બની રહ્યા છે ત્યારે આજે વધુ એક બનાવ બનતા જાનહાની થતા રહી ગઈ હતી.

નરસિંહજીની પોળમાં આવેલા બે માળના જર્જરિત મકાનને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે બપોરે મકાનની આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

સતત અવરજવર વાળા ઉપરોક્ત વિસ્તારમાં મકાન તૂટ્યું તારે કોઈ વ્યક્તિ પસાર થતી નહીં હોવાથી જાનહાની થતા રહી ગઈ હતી. પરંતુ નીચે એક મોટરસાયકલ પાર્ક કરેલી હતી તે કાટમાળમાં દબાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી

Related posts

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નરનું આકસ્મિક ચેકીંગ

admin

ડભોઇ-બોડેલી હાઇવે પર મોટું જોખમ ટીંબી ફાટક ચોકડી પર મૃત્યુનો ખાડો ​

admin

રાષ્ટ્રીય DO OR DIE પ્રાણી કલ્યાણ આંદોલનના સમર્થનમાં વડોદરામાં શાંતિપૂર્ણ રેલી

admin

Leave a Comment