વડોદરા : છાણી જકાતનાકા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ ગાર્ડનમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં આજે અચાનક ભંગાર સર્જાયું હતું. આ તૂટેલી લાઇનમાંથી સતત મોટા પાયે પાણી વેરાતાં જાહેર માર્ગ પર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. ઘટનાને કારણે અંદાજે લાખો ગેલન થી વધુ પીવાનું પાણી વ્યર્થ વહી ગયાનું માનવામાં આવે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પાણી પુરવઠા વિભાગને અગાઉથી ઘણી વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર સમયસર જાગૃત ન થતાં પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે અને લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે છાણી વિસ્તારમાં આ પ્રકારનું બેદરકારીપૂર્ણ પાણીનું વેડફાટ લોકોમાં ભારે નારાજગી પેદા કરી રહ્યો છે.

