વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા આજે યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ શહેરના 3 થી 4 અખાડાની મુલાકાત લઈને તેના ઈતિહાસ અને વિશેષતા જાણીને તેને કેવી રીતે પુન: જીવિત કરી શકાય તે માટે પ્રયાસ કરશે. શહેરમાં 11 જેટલા અખાડા છે. આ અખાડાઓમાં દેશી રમતો જેવી ખોખો, કબડ્ડી, વિવિધ વ્યાયામો, દાવ-પેચ, કુસ્તી તેમજ મલખંભ શિખવાડવામાં આવે છે. સૌપ્રથમ દાંડિયાબજાર સ્થિત જુમ્માદાદા વ્યાયામ મંદિરની મુલાકાત લીધી

