વડોદરાના તાંદલજા ખાતે ઇદ પર્વની ઉજવણી.રમઝાન ના પવિત્ર માસ સંપન્ન થતા ની સાથે મહિના દરમિયાન રોઝા કરનાર,દાન કરનાર, ખુદા ની ઈબાદત કરનાર લોકો માટે અલ્લાહ તરફ થી તોફા રૂપે ઈદ આપવામાં આવેલ હોય,આ ખુશીનો દિવસ માત્ર તહેવાર નથી,પરંતુ પ્રેમ અને માનવતાનો સંદેશ છે. મુસ્લિમ સમાજ ના લોકો હિંદુ, શીખ,ઈસાઈ કોઈ પણ ધર્મ હોય, તેઓ ને ઈદ ની મુબારક બાદી આપતા હોય છે ત્યારે આજ રોજ શહેર ના તાંદલજા વિસ્તાર મા આવેલ નૂરજહાં પાર્ક ખાતે આવેલ.. મસ્જિદે અકસા. ખાતે ઈદ ની નામાઝ અદા કરી એક બીજા ને ઈદ ની મુબારક બાદી આપી ઈદ પર્વ ની ઉજવણી કરવામા આવી હતી.

