વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરીવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ખાસવાડી સ્મશાનમાં ઘણા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે ત્યારે માહિતી મુજબ એક ચિતાની અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ 7000/- રૂપિયા છે છતાં સ્નેહીજનો પાસે તલ અને ઘી બહારથી મંગાવવામાં આવે છે સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ નથી કે અન્ય સેફ્ટી નથી ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને કમાણી કરવામાં રસ છે તેવા આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે લાકડા પલળી ગયા છે ત્યારે શેડ બનાવવાની જરૂર છે છતાં બેદરકારી બદલ નોટીસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.

