36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

ચોટીલામાં બિયારણ ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

ચોટીલામાં NMEO-OS યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનું બિયારણ મળી રહે તેવી યોજનામાં ચોટીલા તાલુકાના 9 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બિયારણનું ફોર્મ ભરી અને ખેડૂતોને બિયારણ આપવામા આવતું હતું. તમને જણાવી દઈએ કે ખેડૂતોને યોજના દરમિયાન 1 એકર દીઠ 20 કિલો મગફળીનું બિયારણ મફતમાં આપવામાં આવતું હતું. ચોટીલા તાલુકાના 100 જેટલા ખેડૂતો આજે ઓનલાઈન ફોર્મ ભરી અને મગફળીનું બિયારણ લેવા પહોંચ્યા હતા પણ બિયારણ ન મળતા હોબાળો મચાવ્યો હતો.

આ સમગ્ર બાબતે રજુઆત કરવા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચી અને ધરણા પર બેસી ગયા હતા. આ સમગ્ર બનાવને લઈને મામલતદાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ મળે તેવી બાંયેધરી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા

Related posts

૭૮માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્રાંતિવીર સરદારસિંહ રાણાનાં વતનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

admin

ચાંદીપુરા વાયરસનાં કહેર વચ્ચે ચુડાનું ખાંડીયા ગામ ગંદકીથી ખદબદી રહ્યું છે.

admin

સુરેન્દ્રનગરના લીંબડી શહેર વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment