ડભોઇ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સોયાબીન કપાસ અને દિવેલા જેવા પાક નીવડ્યો છે નિષ્ફળ
ડભોઇ તાલુકાના વડજઅને શંકરપુરા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો સોયાબીન અને ડાંગર નો પાક ખલાસ થઈ જવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકની હોળી કરી
સરકાર તરફથી નુકસાની નો સર્વે કરાયો નથી તેમ જ ભૂતકાળમાં પણ આ વિસ્તારના ખેડૂતોને કોઈ સહાય મળી હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ
એક તરફ સરકાર સર્વે કરે છે પણ ખેડૂતને એક રૂપિયો પણ મળતો નથી જેના કારણે હવે શિયાળો પાક લેવાનો હોય અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે
સરકાર કહે છે આજે સર્વે કરીશું કાલે સર્વે કરીશું સર્વે થાય છે પણ ખેડૂતો રૂપિયોય મળતો નથી જેને લઈને આજે ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકાર વિરુદ્ધ બળ બળાપો ઠાલવ્યો
અન્ય કોઈ નિર્ણય લેવો હોયતો સરકાર વિચાર નથી કરતી જ્યારે ખેડૂતોને સહાય આપવાની આવે ત્યારે બહાના કાઢે છે

