ગણેશોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવા આવી રહ્યું છે. તાજેતરમાં જ વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકીને કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ભૂતકાળમાં જે વિસ્તારમાં કોમી છમકલા થયા હતા.તે વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ન્યાય મંદિર, મદન ઝાંપા રોડ, લહેરી પૂરા, માંડવી, પાણીગેટ, જેવા સંવેદનશીલ ગણાતા તમામ વિસ્તારોમાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે BSF, CRPF અને હોમગ્રાડ ને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

