વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં 13 વર્ષની સગીર પર સામુહિક બળાત્કારની દમનકારક ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જૂની આશાપુરી વિસ્તારમાં બે નરાધમોએ કિશોરીને મકાનમાં લઈ જઈ ચાર કલાક સુધી ગોંધી રાખી બળાત્કાર કર્યો હતો.
સવારના સમયે ઘરેથી બહાર નીકળેલી સગીરા ચાર કલાક સુધી ગુમ રહી હતી. બાદમાં પરિજનો તેને શોધતા પહોંચ્યા ત્યારે ઘટનાનો ખુલાસો થયો. તરતજ કિશોરીને મેડિકલ ચેકઅપ માટે SSG હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં પીડિતાના સ્વજનો દ્વારા આક્રોશ વ્યક્ત થતાં હોબાળો મચી ગયો હતો.
ફતેગંજ પોલીસ મથકે કિશોરી પર બળાત્કારનો ગુનો નોંધાયો છે. આરોપી બંને નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જોકે પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે કલાકો સુધી કાર્યવાહી નહીં કરી અને આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
પરિજનો દ્વારા બંને આરોપીઓને કડક સજા આપવા અને પોલીસની બેદરકારીની પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઘટનાને લઈ વિસ્તારમાં રોષનું માહોલ સર્જાયો છે તેમજ વધુ તપાસ ફતેગંજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

