વિસાવદર ખાતે વિસાવદરના લઘુમતી સમાસ ઇસ્લામ સમાજના ભાઈઓ બહેનો વડીલો આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો ડોક્ટરો પત્રકારો પોલીસ સ્ટાફ વેપારીઓ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં તાજીયા મોહરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઇસ્લામ ધર્મનું એકતાનું પ્રતીક ખૂબ સારી રીતે જોવા મળ્યો હતો વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ તાજિયામાં ઉપસ્થિત રહ્યા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી, સને 10 ઓક્ટોબર 680 ના રોજ ઈરાકના કરબલામાં આ યુદ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે. આમ વિસાવદર માં ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ પુરા પોલીસ બંદોબસ્ત જીઆરડી હોમગાર્ડ ના બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ સંબંધ થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર
previous post

