વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ગાયકવાડી શાસનકાળના શ્રી બહુચરાજી મંદિર ખાતે મહા સુદ બીજના પવિત્ર દિવસે માતાજીના પાટોત્સવ એટલે કે મૂર્તિ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી બિરેન રમેશચંદ્ર દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોની વિગત આપવામાં આવી છે. આજે મંદિર ખાતે સવારે 7:00 કલાકે: મંગળા આરતી કરવામાં આવી હતી.
સાંજે 4:00 થી 6:00 કલાકે માતાજીના નિમિત્તે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું છે. સાથે સાંજે 6:30 કલાકે પાટોત્સવની મુખ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના રાજવી પરિવારના સભ્યો વિશેષ હાજરી આપશે. શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને શ્રીમંત મહારાણી રાધિકારાજે ગાયકવાડના વરદ હસ્તે સાંજે 6:30 કલાકે મહાઆરતી સંપન્ન થશે. ગાયકવાડ સ્ટેટના સમયથી આ મંદિર સાથે રાજવી પરિવારનો અતૂટ નાતો રહ્યો છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
મંદિર તંત્ર દ્વારા તમામ માઈભક્તોને આ પાવન અવસરે દર્શન અને આરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

