40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભવ્ય તિરંગા યાત્રા

આપણા દેશની શૌર્યગાથા ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉત્સવ હવે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતના છોટાઉદેપુરમાં પણ આ ગૌરવશાળી ક્ષણને યાદગાર બનાવવા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રા વસેડી ખાતે સાંસદના નિવાસસ્થાનેથી શરૂ થઈ અને સમગ્ર નગરમાં ફરી

છોટાઉદેપુરની ધરતી આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા. આ યાત્રા વસેડી ખાતે થી સાંસદના નિવાસસ્થાનેથી શરૂ થઈ, પેટ્રોલ પંપ ચાર રસ્તા, કલબ રોડ , લાયબ્રેરી રોડ, કસ્બા, કવાંટ રોડ થઈ ગુરુકૃપા એમ સમગ્ર નગરમાં મોટી સંખ્યામાં રેલી યોજાઇ હતી. તિરંગા યાત્રામાં નગરજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર, જેનો આરંભ 7 મેના રોજ થયો હતો, તે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટેનું એક નિર્ણાયક પગલું હતું. આ ઓપરેશન પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 નાગરિકો શહીદ થયા હતા.

આજે દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને કારમો જવાબ આપ્યો છે. આ તિરંગા યાત્રા એ દેશની એકતા અને દેશના જવાનોના બલિદાનને સલામ કરવાનો એક પ્રયાસ છે. છોટાઉદેપુરના નાગરિકોએ આજે એક સાથે આવીને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા,નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આદિવાસી સમાજમાં રોષ

admin

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીઓના કાર્યક્રમ તથા સેવાકારોના ફોટાનું પ્રદર્શની

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. 50 લાખના ખર્ચે તળાવ ચોખ્ખું કરવામાં આવશે.

admin

Leave a Comment