દાદા અને પૌત્ર પશુ ચલાવતાં હતાં ત્યારે ચમારડી ગામે વાંસળ નદીમાં ૧૧ વર્ષીય નરેશ દોલાભાઈ ચાવડા નદીનાં કાંઠે ન્હાવા માટે ગયો હતો.
અચાનક જ ઊંડા ખાડામાં તણાઈ જતાં નરેશને ડૂબતો જોઈ તેનાં દાદા કરણભાઈ ઊંડા પાણીમાં ફસાયેલ પોતાના પૌત્રને બચાવવા માટે મોતની છલાંગ લગાવી હતી.
પૌત્રને ડૂબતો જોઈ દાદાએ છલાંગ લગાવી હતી.પરંતુ તેમને તરતાં આવડતું ન હતું અંતે ઊંડા પાણીમાં દાદા અને પૌત્ર બંને ગરકાવ થઈ જવાથી મોત થયા હતા.
ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને દાદા પૌત્રને બહાર કાઢી ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ઉપસ્થિત ડો.જીગ્નેશ કણઝરીયાએ પૌત્ર અને દાદાને મૃતક જાહેર કરતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

