આ ડેમ 1958માં બનેલ છે. જર્જરિત થઈ જતા 30 ગામોને સિંચાઇનો લાભ મળતો ન હતો. જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું.
આ રબ્બર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઇ વિભાગની નંબર 2ની કચેરીને સોંપવામાં આવી છે.
50થી વધુ ગામોને ડેમ બનશે. તો ફાયદો થશે. આ વિસ્તારને કેનાલના સિંચાઇના પાણી મળતા ના હતા.
આ રબ્બર ડેમ 110 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો બનશે. જેનાથી નદીમાં કાપ આવે છે. અને રેતી ધસરાઈને આવે છે. તે રોકાઈ નહીં.
આ ડેમ બને તો ડેમના ઉપરવાસના 50 થી વધુ ગામો ને સિંચાઇ અને પીવાના પાણી ની મુશ્કેલી નો અંત આવશે. જ્યારે 28 કરોડ ના ખર્ચે કેનાલો પણ બનનાર છે. જેનાથી ખેતરો માં પાણી પહોંચશે.
હાલ 30 જેટલા ગામો ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી ભોગવે છે.
સ્થાનિકોએ મંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોહસીન સુરતી છોટાઉદેપુર

