દેશભરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે આનંદ આશ્રમ મોજીદડ ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી.પૂજ્ય સદગુરુ પરમાત્મા દક્ષિણામૂર્તિ મહેશ્વર શ્રીનાથપ્રભુનું ષોડશોપચાર મહાપૂજન સવારે 9 વાગ્યે વાગે શરૂ કરવામાં આવ્યું હતું.ગુરુપૂર્ણિમાના પાવનકારી દિવસે પૂજ્ય ગુરુદેવના પાદુકાજીનું પૂજન,આરતી, ભજન,કીર્તન,પ્રસાદ વગેરેનો લાભ મેળવી સર્વે ગુરુબંધુઓ – બહેનોએ ધન્યતા અનુભવી હતી.ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

