સમયાંતરે અકસ્માત સર્જાતાં હોવાથી રોડપર સ્પીડબ્રેકર હોવા જરૂરી..
ચુડા તાલુકાનાં રામદેવગઢ ગામે બોટાદ શાખા નહેર પર અકસ્માત સર્જાયો.
ખેડુતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ યુટીલીટી ચાલક ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ રામદેવગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની બોટાદ શાખા નહેર પર સિંચાઇ માટે ખેડુતો પાણી ખેંચી પીયત કરતાં હોવાથી ખેડુતોની સતત નહેર પર અવર જ્વર હોય છે.
ત્યારે સરકાર દ્વારા નહેર પર ખેડુતોને અવર જવર કરવાં માટે એક સાઈટ પર ડામરથી રસ્તો બનાવ્યો છે.જે રસ્તા પર ખૂબ જ વાહનો પસાર થાય છે.
હાલમાં લગ્નસરાની સીઝન હોય એક યુટીલીટીમાં ઘોડી ભરીને ચુડા તરફથી બોટાદ તરફ પુર ઝડપે પસાર થતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં રામદેવગઢ ગામનાં ખેડુત રોજાસરા દશરથભાઈ ભુદરભાઈ તેમની વાડીએ જવા મોટરસાયકલ લઈ જેવાં રવાનાં થયાં તે દરમ્યાન યુટીલીટી પુર ઝડપે પસાર થતાં ખેડુત દશરથભાઈને અડફેટમાં લેતાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત દશરથભાઈને 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બાદમાં વધુ ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

