વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગદાપુરામાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધમાં રહેવા અને જીવાવ લોકો મજબુર બન્યા છે,ઠેરઠેર ઉભરાતા ગટરોના પાણી અને ગંદકીથી ગદાપુરાની સ્થિતિ નરકાગારમાં ફેરવાઈ છે.ખાસ કરીને સરકારી આવાસોમાં રહેતા નાગરિકોના ઘર આગળ ગંદું પાણી,માખીઓના ટોળા અને બીમારીઓનો ભય રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે.સરકારી તંત્રને અનેક વખત ફરિયાદ કર્યા છતાં કોઈ કાન નહિં ધરતા ગદાપુરાના લોકોને ગંદકી વચ્ચે દયનિય હાલતમાં રહેવું પડે છે,ત્યારે પાલિકાના અધિકારીઓ કે નેતાઓને એક કલાક અહીં રહે તો ખબર પડે કે પીડા કોને કહેવાય!
previous post

