છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન અને સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના નેતા નિરંજનભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

