વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામ થઈ રહી છે ત્યારે શિનોર તાલુકાના માંજરોલ ગામે જય દશામાં યુવક મંડળના ગણેશ ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરોમાં ગામોમાં ફાળિયાઓમાં ભક્તો પોતાની ભક્તિ તથા શક્તિ પ્રમાણે ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે જય દશામાં યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ ગણપતિ બાપાને અલગ અલગ જાતનો પ્રસાદ ચડાવવામાં આવે છે. સવાર સાંજ ગણપતિ બાપાની આરતી કરવામાં આવે છે. જેમ ભક્તોની ભીડ જોવા મળે છે.
ગણપતિ બાપાનું વિશર્જન પણ ખુબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. જેમાં વાજતે-ગાજતે યાત્રા કાઢવામાં આવે છે. મોટી સંખ્યામાં ગામ વાસીઓ અને મંડળના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ગણપતિબાપાનું વિસર્જન કરવામાં આવે છે.

