વડોદરાના ગોત્રી–ભાયલી કેનલ રોડ પર આવેલ નીલાંબર ચાર રસ્તા વિસ્તારની એક સોસાયટીમાં વાંદરાએ 5–6 લોકોને બચકા ભરાતા અફાર તફરી મચી ગઈ હતી.સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાતા તોફાની કપિરાજ અંગે ફોરેસ્ટ કન્ટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર ઉપદ્રવ મચાવતા વાંદરાનું સાવધાની પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તેને કન્ટ્રોલમાં લઈ ગયા હતા.

