સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યની ગ્રાન્ટ માંથી જળસંચય માટે રિચાર્જ વેલ બનાવવા માટેનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાત મુહૂર્ત
વડોદરા શહેર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા ની ગ્રાન્ટ માંથી 4.80 કરોડના ખર્ચે તૈયાર થનાર જળસંચય કુલ 128 જેટલા સ્થળે રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે યોજાયું હતું. આ કાર્યક્રમ લક્ષ્મીપુરા રોડ હરીફામ લોટસ પ્લાઝા ની સામે યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા મેયર પિન્કીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા કાઉન્સિલરો તેમજ આમંત્રિત મહેમાનો તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

