વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ બહાર ગેટ ઉપર સમાન સિવિલ કોડ UCCના સમર્થનમાં વકીલો દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ગેટ બહાર વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમાર ની આગેવાનીમાં સમાન સિવિલ UCC ના સમર્થનમાં મોટી સંખ્યામાં વકીલો દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી હતી.સમાન સિવિલ કોડ UCC લાગુ કરવા માટે સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે.જે આપણા રાષ્ટ્રના હિતમાં છે. પરંતુ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરીને કહી રહ્યા છે કે આ કાયદો અન્યાયી છે અને આપણા દેશની સમાનતા-બંધુતાને નુકસાન કરશે.પણ એ વાત સાવ ખોટી છે. હકીકત તો એ છે કે સમાન સિવિલ કોડ રાષ્ટ્રના હિતમાં છે દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કરશે.ભારત જેવા દેશ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી સંભવ છે ? સમાન નાગરિક સંહિતા એક એવો કાયદો છે. જે દરેક ધર્મના લોકો માટે સમાન હશે. તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહિ હોય.આ કાયદામાં પરિવાર, વિવાહ, સંપત્તિ અને મૂળભૂત નાગરિક અધિકારના મામલાઓમાં બરાબરી હશે. રાજ્યનું એ કર્તવ્ય હશે કે તે લોકોના વ્યક્તિગત અધિકારને સુનિશ્ચિત કરશે.સહી ઝુંબેશ સંદર્ભે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમારે જણાવ્યું હતું

