ચોમાસા ની શરૂઆત થતાં જ પાલિકા નું આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું છે. પાલિકા આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા અલગ અલગ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વારસિયા વિસ્તારમાં રહેતા એક પાણી પૂરી વેચતા વિક્રેતા ને ત્યાં ચેકિંગ હાથ ધરતા હાલ કોઈ અખાધ વસ્તુ મળી આવેલ ન હતી. જો કે મળતી માહિતી અનુસાર અન્ય સ્થળો પર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં મોટા પ્રમાણમાં અખાદ્ય બટાકા ચટણી અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસુ શરૂ થતા પાણીજન્ય રોગ ના કેસ માં વધારો થતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
previous post

